રાજ્યમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી બ્રિજ ટેકનીકલ ટીમ દ્વારા મહિસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાંત્રોલી બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવાર-જવર બંધ કરવામાં આવી છે.


તાંત્રોલી બ્રિજ ભારે વાહન માટે બંધ

મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંત્રોલી બ્રિજ પર માલ વાહક ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાંત્રોલી બ્રિજ પર હાલ પૂરતો ભારે વાહન ચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકો અને નાના વાહન ચાલકો તેમજ બસ માટે આ બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે. તાંત્રોલી બ્રિજ પર ભારે વાહન અહીં થી પસાર ન થાય તે માટે બર્કેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું

પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યાના તમામ બ્રિજની તપાસ કરવમાં આવી રહી છે. ગાંધીનગરથી બ્રિજ ટેકનીકલ ટીમ દ્વારા મહિસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાંત્રોલી બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવાર-જવર બંધ કરવામાં આવી છે.


  • Follow us on: