રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી ગઈ છે. કરોડોના ખર્ચએ તૈયાર થયેલ હાઇવે ઉપર નબળી ગુણવતા સામે આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે લોકાર્પણ થાય તે પહેલા નેશનલ હાઈવે ઉપર એજન્સીની પોલ ખુલી ગઈ છે. આ અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી













