વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થતા મોટી દુર્ઘટના બનવા પામી. ગંભીરા બ્રિજમાં હજુ કાર્યવાહી ચાલુ છે. જંબુસર તેમજ આમોદની જનતાને ટોલ ટેક્સ માટે મુક્તિ મળે તે માટે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ઢાઢર નદી ઉપર બ્રિજ બંધ કરતા જનતાને ટોલ ટેક્સનું ભારણ વધશે એક્સપ્રેસ હાઇવે. સમિયાલાથી ફઝલપુર તેમજ વાસદ ટોલ નાકા ઉપર ટોલ ટેકસ ફ્રી કરવા ભલામણ કરવામાં આવી. કારણ કે 28 કિલોમીટરમાં બે ટોલ ટેક્સ હોવાના કારણે સ્થાનિકો પર આર્થિક બોજો પડશે.


જનતાની વહારે ધારાસભ્ય

ધારાસભ્ય દેવકિશોરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને કારણે નજીકના માર્ગો પર પ્રતિબંધ મૂકતા જંબુસર અને આમોદની જનતાને દૈનિક રોજગાર નોકરી ધંધા અર્થે અવરજવર કરતા હજારો નાગરિકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે હાલ 40 કિલોમીટર થી વધુનો ફેરો કરવો પડે છે. આ વિસ્તારમાં વાહન વ્યવહાર માટે હાલ બસો બંધ હોવાથી તેમને ભારે મુશ્કેલી થઈ રહી છે. આ વિસ્તારના સ્થાનિકો પોતાના કામઅર્થે બસ સેવા શરૂ કરવામાં આવે તેમજ તેમને વધુ ટોલટેક્સ આપવામાંથી મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.

બ્રિજ ધરાશાયી થતા સ્થાનિકોને હાલાકી

બ્રિજ દુર્ઘટનાને પગલે નજીકના માર્ગો બંધ કરવામાં આવ્યા. જેના કારણે આસપાસના લોકોને મોટી મુશ્કેલીઓના સામના કરવો પડે છે. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજનો સ્લેબ અધવચ્ચેથી તૂટતા વાહનો સહિત અનેક લોકો નદીમાં તણાયા હતા. આ ઘટનામાં તાત્કાલિક ધોરણે NDRFની ટીમ ત્યાં પહોંચી જઈ બચાવકાર્ય હાથ ધર્યું. આ ઘટનામાં હજુ પણ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. ત્યારે બ્રિજ બંધ કરવાના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો નોકરી અને ધંધા માટે અવર-જવર કરવામાં મુશ્કેલી સામનો કરી રહ્યા છે. જેને લઈને ધારાસભ્ય દેવકિશોરે મુખ્યમંત્રીને પત્ર લખી લોકોને થતી હાલાકી દૂર કરવામાં સહાયની અપીલ કરી.

  • Follow us on: