વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ VMC જાગ્યું છે. વડોદરા મનપાએ 43 બ્રિજનો સરવે કર્યો છે. 43 પૈકી 41 બ્રિજ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકા દ્વારા સર્વે કરાયો છે. જેમાં બે બ્રિજ જર્જરીત હોવાનું સામે આવ્યું છે. સયાજીબાગનો ફૂટ બ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ જર્જરીત હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. બંને બ્રિજ ને સલામતી ખાતર બંધ કરાયા છે.
વડોદરા મનપાએ 43 બ્રિજનો સરવે કર્યો













