અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ સાસુ અને પત્નીને જવલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે, ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુને હોસ્પિટલ ખસેડાયા છે, બનાવ પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે જેમાં આરોપી જ્વલનશીલ પદાર્થ લઇને જતો દેખાયો છે, ઘટનામાં આરોપી અશોક રાજપૂત પણ દાઝ્યો છે અને સરદારનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના કુબેરનગરમાં ગઈકાલે સાંજે બની ઘટના

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ આઝાદ મેદાન પાસે એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના બની છે. એક યુવકે પારિવારિક ઝઘડાના કારણે પોતાની પત્ની અને તેની સાસુને જીવતી સળગાવી દીધી. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ઊભો કર્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

પત્ની બ્યુટી પાર્લરનું કરતી હતી કામ

ગઈકાલે સાંજે અમદાવાદના કુબેરનગરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પત્ની બ્યુટી પાર્લરના કામકાજ સાથે સંકળાયેલી છે અને છેલ્લા ઘણા મહિનાથી પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે, તો આ ઘટના બાદ પતિ ફરાર થયો હતો અને મહિલાએ બુમાબુમ કરતા લોકો મદદે દોડી આવ્યા હતા અને ત્યારબાદ લોકોએ પાણી છાંટીને આગ ઓલવી હોવાની વાત સામે આવી છે, આ કેમિકલ કયુ હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં મહિલાને સળગાવી દેતા મોત

કુબેરનગરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી, પત્ની અને સાસુને સળગાવવાનો કર્યો હતો પ્રયાસ, ગંભીર રીતે દાઝેલી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે, ઘર કંકાસમાં યુવકે જ્વનશીલ પદાર્થ છાંટી પત્નીને સળગાવી છે, પતિ સામે પત્નીએ ઘરેલુ હિંસાની કરી હતી ફરિયાદ

અને પાંચ મહિના પહેલા જ બંને લગ્ન થયા હતા.

  • Follow us on: