ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ છેલ્લા એક વર્ષથી ATSની રડારમાં હતા.ATS દ્વારા ઝડપી લેવાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ છે ત્યારે જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના બની છે. ત્યારે આતંકીઓ મુદ્દે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આતંકીઓની પુછપરછમાં તેઓ શું કરતા હતા અને શું કરવાના હતાં તે અંગે મોટા ખુલાસા સામે આવ્યા છે.


આતંકી આઝાદ સૈફી વર્ષ 2023થી જ રેડિકલ થયો હતો

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલો આઝાદ સૈફી વર્ષ 2023થી જ રેડિકલ થયો હતો. તે સોશિયલ મીડિયા થકી અબુ સુફિયાન ઉર્ફે અબુ તાલાના સંપર્કમાં આવ્યો હતો. આઝાદ મદરેસામાં ભણતો હતો ત્યાર બાદ આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો. સૈફી સોશિયલ મીડિયા પર કટ્ટર લખાણ લખતો હતો. આતંકી આઝાદ રેડિકલ થયા બાદ એક વર્ષ પહેલા કાશ્મીર ગયો હતો. તેણે આર્મીની મુવમેન્ટ અંગે માહિતી મેળવી હતી ત્યાર બાદ તે પરત ફર્યો હતો.

ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતાં.

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતાં. આતંકીઓ જે વિસ્તારમાંથી આવે છે ત્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ છે. આતંકી અગાઉ પણ અમદાવાદની હોટેલ ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો. અન્ય બે આતંકીઓ અમદાવાદમાં પહેલીવાર આવ્યા હતાં. ત્રણેય આતંકીઓની ATS દ્વારા સઘન પુછપરછ હાથ ધરાઈ છે. આતંકીઓના મોબાઈલ ડેટાની રિકવરી બાદ વધુ ખુલાસા થશે. ડૉ.અહેમદ સૈયદ હૈદરાબાદથી કાર લઈને આવ્યો હતો. જે કારમાંથી ઝડપાયો તે કાર આતંકી ડૉ અહેમદના નામે છે.


  • Follow us on: