અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કર્યા બાદ પણ તેઓ બેખૌફ બની રહ્યાં છે. રથયાત્રા પહેલા પણ પોલીસે અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ શહેરમાં પોલીસનો જાણે ખૌફ જ ના રહ્યો હોય તેવી રીતે ગુનાખોરી પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પાથરણાં વાળા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે મસ્તાનની પોલીસે ધરપકડ કરી છે.
ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાનની ગાયકવાડ પોલીસે ધરપકડ કરી













