અમદાવાદ શહેરના સરદારનગરમાં ઘર કંકાસ એટલો ઉગ્ર બન્યો કે પતિએ પત્ની અને સાસુને જ્વલનશીલ પ્રવાહી છાંટીને જીવતા જ સળગાવી દીધા, જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું છે તો સાસુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથે જ પત્ની અને સાસુને જીવતા સળગાવનારને પણ ઈજા પહોંચતા તેની પણ પોલીસ જાપ્તામાં સારવાર ચાલુ છે. જે અંગે સરદાર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પતિ-પત્ની વચ્ચે છેલ્લા 5 મહિનાથી તકરાર ચાલતી હતી

અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં આવેલા કમલ કોમ્પલેક્ષમાં ગઈકાલે ઘર કંકાસમાં પતિએ પોતાની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દીધા હતા, જેમાં સારવાર દરમિયાન પત્ની જયાબેન રાજપૂતનું મોત નીપજ્યું છે તો પત્ની શોભનાબેનને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી સાંજે અશોક રાજપુતે તેની પત્ની જયા અને સાસુ ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી દીધો હતો. પતિ પત્ની વચ્ચે છેલ્લા 5 મહિનાથી પ્રેમ લગ્ન બાદ તકરાર ચાલતી હતી, જેના કંકાસથી કંટાળી અશોકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સરદાર નગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી

પત્ની અને સાસુને જીવતા સળગાવવા મામલે પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી કે જયા અને અશોક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને હમણાં જ જયાના પહેલા લગ્નના છૂટાછેડા થયા હતા અને પાંચ મહિના અગાઉ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં તકરાર ચાલતા બે વખત તેના પિયર રહેવા જતી રહી હતી અને તેની માસીના સાથે મળી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. ગઈકાલે સાંજે 6 વાગે અશોક ડોલમાં પ્રવાહી ભરી બ્યુટી પાર્લર પહોંચ્યો અને ત્યાં આગ લગાવી દીધી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ દરમિયાન કબજે કર્યા છે. જે બનાવમાં પત્નીનું મૃત્યુ થતાં પોલીસે હત્યા અને સાસુના હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

ગુનાની ગંભીરતા સમજી પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે દોઢ મહિના પહેલા જયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘર કંકાસ અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મન મેળ ન આવતા જયા અને અશોક અલગ અલગ રહેતા હતા. કંકાસમાં આ બનાવ બન્યો છે, જેથી પોલીસે આ ગુનાના તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: