અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હજીરાની પોળમાં મોન્ટુ નામદાર નામના કુખ્યાત સહિત પાંચ લોકોએ ભાજપના કાર્યકર રાકેશ મહેતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુનામાં જેલમાં રહેલા મોન્ટુને પેરોલ મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ખાડિયામાં ફટાકડા ફોડીને આતંક મચાવ્યો હતો. પોલીસને જાણ થતા જ પોલીસ આવી ત્યારે મોન્ટુ ભાગી છૂટ્યો હતો તે મકાન પરથી કૂદવા જતાં બંને પગે ફ્રેક્ચર થયું હતું. પોલીસે ગુનો નોંધી મોન્ટુની ધરપકડ કરી હતી. હવે મોન્ટુ સામે ત્રીજો ગુનો નોંધાયો છે.  


કુખ્યાત મોન્ટુ નામદાર સામે ત્રીજો ગુનો નોંધાયો

કુખ્યાત મોન્ટુ નામદાર સામે ત્રીજો ગુનો નોંધાયો છે. આઠમી જૂને જેલમાંથી પેરોલ પર બહાર આવેલા મોન્ટુએ 9મી જૂને સાક્ષીને ધમકાવ્યો હોવાનો કેસ દાખલ થયો હતો. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે તે પોલીસને પણ અપશબ્દો બોલ્યો હતો. પોલીસ હવે મોન્ટુ સામે ફર્લો રજા રદ કરવા માટે રિપોર્ટ કરશે અને બાદમાં તેને ફરીવાર જેલ હવાલે કરવામાં આવશે. સમગ્ર બાબતે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ પકડથી ભાગતા ઈજાગ્રસ્ત થયો આરોપી

ACP E ડિવિઝન વાણી દૂધાતે કહ્યું હતું કે, મોન્ટુ નામદાર વિરુદ્ધ અગાઉ ખાડિયા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. તેને વડોદરા જેલમાંથી ફર્લો રાજા પર 8 જૂને મુક્ત કરવામાં આવ્યો હતો. 8 જૂને જેલ બહાર આવ્યા બાદ 9 જૂને ખાડિયામાં હત્યા કેસના ફરિયાદના સાક્ષીને ડરાવવાની અને ધમકાવવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસને 112નો કોલ મળતા ધરપકડ માટે ત્યાં પહોંચી ગઈ હતી. મોન્ટુ નામદાર પોલીસ પકડથી ભાગવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત થયો હતો. તે નશાની હાલતમાં પણ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી અને બીભત્સ વર્તન અને ગાળાગાળી કરવાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 12 જૂને મોન્ટુ નામદાર સામે ત્રીજો દાખલ કરવામાં આવ્યો છે.  


આ પણ વાંચોઃ Kheda News: ભાજપ નેતાના ગોડાઉન પર સ્ટેટ વિજિલન્સની રેડ, વિદેશી દારૂની 1033 બોટલ સાથે એક ઝડપાયો


  • Follow us on: