આણંદના ઉમરેઠ નજીકના દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ ગયા બાદ મોત થયું હોવાની ઘટનામાં ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવકના પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવી પેનલ પીએમ કરાવાની માગ કરી હતી અને ભાલેજ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.
યુવકની હત્યા કરાયાની પરિજનોને આશંકા
દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ જતા મોત થયું હતું અને આ સમગ્ર મામલામાં દાગજીપુરાના ગ્રામજનોએ ભાલેજ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરી હતી. આ યુવકની હત્યા કરાયાની પરિજનોને આશંકા છે.













