ભારે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગુજરાતમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સુરત, વડોદરા, નર્મદા અને ખેડા જેવા ઘણા જિલ્લાઓમાં નદીઓ છલકાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આણંદના નભોઇ,રિંઝા ગામે નદીના પાણી ઘૂસ્યા છે. નભોઇમાં 50 જેટલા ઘરમાં નદીના પાણી પ્રવેશ્યા છે. દૂધમંડળી અને ગ્રામપંચાયત પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. સાબરમતી નદીના પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી છે. સતત પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનોમાં ચિંતા જોવા મળી છે.


નભોઇમાં 50 જેટલા ઘરમાં નદીના પાણી પ્રવેશ્યા

સાબરમતી નદીના પાણી આણંદના ગામડાઓમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરે વરસાદથી સાબરમતી નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમોના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડાતા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. આણંદના નભોઇ,રિંઝા ગામે નદીના પાણી ઘૂસ્યા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને ઘરવખરીને ભારે નુકસાની થવા પામી છે.

સાબરમતી નદીના પાણી ઘૂસતા લોકોને હાલાકી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદથી નદી નાળા તેમજ ડેમો છલકાયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ધરોઈ ડેમના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીની અસર આણંદ તથા ખેડા જિલ્લમાં વધારે જોવા મળી છે. આ જિલ્લાઓમાં નદી કિનારાના ગામડાઓમાં નદીના પાણી ઘૂસી ગયા છે.


  • Follow us on: