ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાત કેસ સતત સામે આવી રહ્યાં છે. ભરૂચના આમોદમાં સગીરાએ ગળા ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો તેની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


સગીરા ધોરણ 10માં 78 ટકા લાવી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચના આમોદમાં રહેતી સગીરા ધોરણ 10માં 78 ટકા લાવી હતી. તેણે પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આમોદમાં નવીનગરી વિસ્તારમાં રહેતા હસમુખ વસાવાની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીરાએ આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આરોગ્ય કેન્દ્રના તબીબોએ મૃત જાહેર કરી

સગીરાને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધીને સગીરાના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: