ભાવનગરના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. પતિએ જ પત્નીની હત્યા કરી છે. આરોપી પતિ સંજય જીણા પંચાસરાએ તેમની પત્ની પૂનમ બેન પંચાસરાની લાકડી અને ધોકા મારીને હત્યા કરી છે. પતિએ પત્નીની આડા સંબંધની ખોટી શંકાને લઈને હત્યા કરી નાખી છે. આરોપી પતિએ તેની પત્નીને હત્યા કરીને એના સાળા લાલજીભાઈને ફોન કર્યો કે તારી બેનને ઝેરી જીવડું કરડી જતા મોત થયું છે.
માર મારવાના લીધે થયું પત્નીનું મોત!













