ગુજરાતમાં એસટી બસની ટક્કર વાગતાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં એસટી બસે ટક્કર મારતાં બાઈકચાલક યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. લોકોએ 108 અને પોલીસને અકસ્માતની ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે.


વડોદરાથી દાહોદ આવતી એસટી બસે મારી ટક્કર

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાથી દાહોદ આવતી એસટી બસના ડ્રાઈવરે મુવાલિયા ચોકડી પાસેથી પસાર થતાં એક બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. એસટી બસે બાઈક ચાલકને સો મીટર સુધી ઢસડ્યો હોવાનું લોકો તરફથી જાણવા મળ્યું હતું. એસટી બસની નીચે આવી જતાં બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જામ્યા હતાં. લોકોએ 108 અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતની ઘટનાને લઈને મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતાં.


  • Follow us on: