જામનગરમાં સિક્કામાં અઘટિત માગણીને તાબે ના થનારી વિધવા મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. આ મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હોટલ ચલાવતો શખ્સ મહિલા પાસે અઘટિત માંગણી કરતો હતો અને મહિલાએ ઇન્કાર કરતા હોટલ સંચાલક સુખદેવ જાડેજાએ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
વિધવા મહિલાની હત્યા થતાં ચકચાર













