જામનગરમાં ઝુલુસ દરમિયાન જનુની નારા લગાવનાર 7 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં તાજેતરમાં ઝુલુસ દરમિયાન અમુક શખ્સોનો નારા અને વિચિત્ર ઝંડાઓ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે ચકચાર મચી હતી. બાદમાં પોલીસે 7 શખ્સો સામે ફરિયાદ નોંધી પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દરબાર ગઢ વિસ્તારમાં નારા લગાવનારા શખ્સોને સીટી એ ડિવિઝન દ્વારા દબોચી લઈ કોર્ટમાં રજૂ કરાયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવા મળ્યા

જામનગર શહેરમાં ઈદે નિમિત્તે ઝુલુસ નીકળ્યું હતું, જેમાં અમુક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે વિચિત્ર નારા સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો વાયરલ થયો હતો. સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય કરનારા 7 શખ્સ સામે પોલીસે ગુનો નોંધતા ચકચાર મચી છે. દરબારગઢ સર્કલ બર્ધન ચોકના ખુણા પાસે નારા લગાવતા હોય, જેમાં અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવે છે. જેમાં એક શખ્સ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરના ઝંડા સાથે જનુની નારાનો ઓડિયો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી કોમી વૈમનશ્ય ફેલાવવાનું કૃત્ય આર્ચયુ હતું.

હિન્દુ સંગઠનના 2 આગેવાનોએ વીડિયો સાથે ઘટનાને ખુલ્લી પાડી

ઉલ્લેખનીય છે કે આવા કૃત્યથી જુદી જુદી ધાર્મિક માન્યતા જાહેર સુલેહ શાંતીનો ભંગ થવાનો સંભવ હોય એવુ કૃત્ય હતું. જેથી પોલીસે તે વીડિયોની ખરાઈ કરીને આજે મોડી સાંજના પીએસઆઈ વી. આર. ગામેતી ખુદ ફરિયાદી બનીને મોહસીનખાન સલીમખાન પઠાણ, બીલાલ હાસમભાઈ નોયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી, યુનુસ હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ બાઉદિનભાઈ બેલીમને પકડી પાડ્યા હતા અને તેમને રિમાન્ડની માગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ આ મામલા અંગે જામનગરના હિન્દુ સંગઠનના 2 આગેવાનોએ વીડિયો સાથે ઘટનાને ખુલ્લી પાડયા બાદ પોલીસને નાછુટકે આ મામલે ગુન્હો નોંધવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે સિટી એ ડિવિઝન પોલીસ મથક અને તેને સલગ્ન દરબારગઢ પોલીસચોકીના નાક નીચે આ ઘટના બની હોવા છતાં પોલીસે કોઈ કામગીરી કરી ન હતી અને ઉહાપો થયા બાદ ગુન્હો નોંધ્યો છે.


  • Follow us on: