જામનગરમાં GSTના મસમોટા કૌભાંડમાં ફરિયાદ થતા ચકચાર મચી ગઇ છે. જામનગરમાં કથિત મુખ્ય સૂત્રધાર CA અલ્કેશ પેઢડીયા સામે ફરિયાદથી સીએ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી  છે.


અલ્કેશ પેઢડીયા સામે 2.93 કરોડની છેતરપિંડીની ફરિયાદ

મળેલી માહિતી મુજબ સીએ અલ્કેશ પેઢડીયા સામે 2.93 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સીએ દ્વારા વેપારીની પેઢીમાં ખોટા બિલો દર્શાવી છેતરપિંડી કરાઇ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.

અલ્કેશ પેઢડિયાની શોધખોળ

GST વિભાગ દ્વારા કરાયેલી તપાસ પછી અલ્કેશ પેઢડીયા સામે ગુનો દાખલ કરાયો છે. ગુનો દાખલ થતાં જ પોલીસ દ્વારા અલ્કેશ પેઢડિયાની શોધખોળ શરુ કરાઇ છે.

વેપારીની પેઢીમાં ખોટા બીલો દર્શાવ્યા

પોલીસે જણાવ્યું હતું કે ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની જીએસટી ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ શહેરના સીટી સી ડિવિઝનમાં પ્રથમ ગુનો દાખલ કરાયો છે જેમાં મોટી લાખાણી ગામના એક વેપારીની પેઢીમાં ખોટા બીલો દર્શાવી ૨,૯૩,૮૩,૩૩૨ જેટલી જીએસટી ની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

GST દ્વારા પ્રથમ ગુનો

શહેરમાં GST દ્વારા પ્રથમ ગુનો નોંધાતા શહેરના ચાર્ટડ એકાઉન્ટ ધંધાર્થીઓમાં ચર્ચા જોવા મલી રહી છે. જીએસટી વિભાગ હજું જામનગરમાં તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. 

  • Follow us on: