જૂનાગઢમાં ગોરખનાથ જગ્યામાં તોડફોડના કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે તોડફોડ કરનારા પૂજારી અને સેવકની અટકાયત કરીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ શરૂ કરી છે.પૂજારીએ જ મૂર્તિ ખંડિત કરીને મંદિરમાં તોડફોડ કરી હતી. પોલીસે ચોરીની ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. બન્ને આરોપી એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું
આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસે ગુરુ ગોરખનાથ શિખરની ઘટનાનો ભેદ ઉકેલીને શ્રદ્ધાળુઓની આસ્થાને પુન: સ્થાપિત કરી છે. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતના ગુરુ ગોરખનાથ શિખર પર સ્થિત ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિનું શિરચ્છેદ કરીને તેને ખીણમાં ફેંકી દેવાની ઘટના સામે આવતા લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી.













