વ્યાજખોરોના ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે મહેસાણાના કડીમાં શંખેશ્વરના પરિવારે કડીની નર્મદા કેનાલમાં વ્યાજખોરોના ત્રાસથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. જેને લઈને હાલમાં કડી પોલીસ મથકમાં શંખેશ્વરના 10 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
કારમાંથી સુસાઈડ નોટ અને મોબાઈલ પોલીસને મળી આવ્યો













