મહેસાણામાં વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલ ઉમેદપુરી આશ્રમમાં મોડી રાત્રે બુકાનીધારી તસ્કરો ત્રાટકતાં ખળભળાટ મચી ગયો છે. બુકાનીધારીઓએ આશ્રમના મહંત પ્રયાગગીરીજી મહારાજ પર હુમલો કર્યો હતો. સદુથલા ગામના ઉમેદપુરી આશ્રમમાં રાત્રી દરમિયાન બુકાનીધારી તસ્કરો હથિયારો સાથે ત્રાટક્યા હતા. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે તસ્કરો ચોરી કરવાના ઇરાદે આશ્રમમાં ઘૂસ્યા હતા.
વિસનગરના સદુથલા ગામમા બુકાનીધારીઓ ત્રાટકયા
આશ્રમમાં ઘૂસેલા બુકાનીધારીઓએ મહંત પ્રયાગગીરીજી મહારાજ પર ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાને કારણે મહંતને ઇજાઓ પહોંચી હતી. જોકે મહંતે પ્રતિકાર કર્યો કે અન્ય કોઈ કારણસર તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા કે નહીં તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ સમગ્ર ઘટના આશ્રમ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના વિડીયો ફૂટેજ સામે આવ્યા છે.













