નવસારીમાં પત્નીના વિયોગમાં મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદહે આજે મળ્યો. યુવાને શનિવારના રોજ પૂર્ણ નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનના આપઘાતની ઘટનાની સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. દરમિયાન યુવાનને બચાવવા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણ પ્રયાસ હાથ ધરાયા હતા. નદીમાં તરવૈયાની મદદથી યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે બે દિવસની મહેનત બાદ આખરે યુવાનનો પૂર્ણા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો.
પત્ની અને ભાઈ ગુમાવતા યુવાન થયો હતાશ













