નવસારીના વાસંદામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. વાંસદાના વાંદરવેલા ગામે પાવડી ફળીયા પાસેથી આ વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. એક વ્યક્તિના મૃતદેહ મળવાનો મામલો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. મૃતદેહની આસપાસ પૂજાની સામગ્રી હોવાથી તે ભૂવો હોવાનું પોલીસનું અનુમાન છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.


વાંદરવેલામાં મળ્યો ભૂવાનો મૃતદેહ

મળતી માહિતી મુજબ વાંસદાના વાંદરવેલા ગામના ફળીયામાં ખુલ્લેઆમ એક વ્યક્તિ પડ્યો હતો. પહેલા તો લોકોને લાગ્યું કે આ શખ્સે દારૂ પીધો હોવાથી ભાન ભૂલ્યો હશે. પરંતુ લાંબા સમય સુધી જ્યારે આ શખ્સ દ્વારા કોઈ હલનચલન કરવામાં ના આવતા સ્થાનિક લોકોને દાળમાં કંઈક કાળુ લાગ્યું. અને તેમણે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈ પ્રાથમિક તપાસ કરતા આ શખ્સ ભૂવો હોવાનું લાગ્યું. વાંસદા પોલીસે મૃતદેહને પીએમ માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડ્યો.

રહસ્યમય સંજોગોમાં મળી ભૂવાની લાશ

દરમિયાન પોલીસે આ ઘટનાની વધુ તપાસ કરતા સામે આવ્યું કે ભૂવાનું નામ ઝીણા પટેલ ભગત છે. અને તે વાઘાબારી ગામના કુકણીવાડ ફળીયાનો રહેવાસી છે. ઝીણા પટેલ ભૂવા તરીકે કામ કરતા અનેક લોકોને શિકાર બનાવ્યા. ભૂવા પટેલનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભૂવા પટેલે કોઈ કારણસર આત્મહત્યા કરી છે કે પછી તેના દ્વારા શિકાર કરવામાં આવેલ કોઈ શખ્સનું કામ પાર ના પડતા તેની હત્યા કરવામાં આવી છે. ઝીણા પટેલની રહસ્યમય સંજોગોમાં લાશ મળતા પોલીસ સંભવત તમામ થિયરીને લઈને આ મામલાની તપાસ કરી રહી છે.

  • Follow us on: