પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને આંતકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી ભારતમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઓપરેશન સિંદુર હાથ ધર્યું હતું. જેમાં આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. જે સમયે ભારતને મિત્ર રાષ્ટ્રોએ સમર્થન કર્યું હતું. તો પાકિસ્તાનને પણ અઝરબૈઝાન અને તુર્કી જેવા દેશોએ સમર્થન કર્યું હતું. તો પાકને મદદ કરનાર તુર્કીનો નવસારીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. લાખોની કિંમતના આયાતિત ફળોનો નાશ કરીને અનોખો વિરોધ વેપારીઓએ નોંધાવ્યો હતો.


નવસારીમાં તુર્કીનો વિરોધ

નવસારીના APMCમાં તુર્કીથી આવનારા વિદેશી ફળોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તુર્કીથી આવેલા 13 મણ સફરજનનો નાશ કરીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ વેપારીઓએ તુર્કીના તમામ ફળો ન વેચવા માટેનો નિર્ણય પણ લીધો છે. લાખોનું નુકસાન વેઠીને વેપારીઓએ તુર્કીના ફળોનો નાશ કર્યો. તેમજ પાકિસ્તાનને મદદ કરનારા તુર્કી સામે નવસારીના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે આતંકવાદ વિરુદ્ધ વિશ્વના મોટા ભાગના દેશો ભારત પડખે ઉભા હતા. ત્યારે તુર્કી જેવો દેશ આતંકને પોષનારા પાકિસ્તાનના સમર્થનમાં ઉભું રહીને તેને સૈન્ય મદદ કરી હતી.

ભારતમાં તુર્કી સામે રોષની લાગણી

નવસારી સહિત સમગ્ર દેશમાં હાલ તુર્કીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાંથી આયાત થયેલી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તુર્કીમાં મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ ફરવા માટે પણ જતા હોય છે. બુકિંગ પણ ધડાધડ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. ભારત સામે તુર્કીએ કરેલી પાકિસ્તાનના મદદના લીધે ભારતના લોકો દ્વારા તુર્કી સામે ભારે રોષ અને ગુસ્સો જોવા મળ્યો છે.


  • Follow us on: