રાજકોટના ધોરાજીમાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપલેટામાં વર્ષ 2022માં દંપતીની હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી સુનિલ ઉર્ફે કરણ સિંગરખીયાને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ ઘટનામાં પ્રેમ લગ્ન બાબતે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.


ઉપલેટામાં વર્ષ 2022માં પતિ-પત્નીની કરી હતી હત્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપલેટામાં વર્ષ 2022માં પતિ પત્નીની સરા જાહેર થયેલી હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજીભાઈ સિંગરખીયાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.ઉપલેટામાં બનેલા ઓનર કિલિંગના કિસ્સામાં કોર્ટ દ્વારા હત્યા કરનાર વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારાઈ છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના યુવક અને અરણી ગામની યુવતીએ કરેલા પ્રેમ લગ્ન બાબતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

હત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હતી

શહેરના ધમધમતા રસ્તા પર દિન દહાડે કરેલી હત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હતી. અટકાયતમાં હત્યા કરનાર યુવક તેમની પત્ની અને યુવકના પિતાની પોલીસે અટકાયત કરી હતી.યુવકની પત્ની અને પિતાને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. જ્યારે યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓનર કિલિંગ જેવા બનાવોમાં આ પ્રથમ બનાવવામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં કોર્ટ દ્વારા પુરાવાના અને કાયદાના સિદ્ધાંતોને ટાંકી સજા ફટકારવામાં આવી છે.


  • Follow us on: