રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર ભેળસેળ કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે. ત્યારે 2014માં મનપા દ્વારા દાબેલીના વેપારીના ત્યાંથી લીધેલા નમૂનાના કેસમાં મ્યુનિસિપલ કોર્ટે વેપારીને એક લાખનો દંડ અને દંડ ના ભરે તો એક માસની જેલની સજા ફટકારી છે. 2014માં મનપાની તપાસમાં કૈલાસ દાબેલીના મસાલામાંથી કેન્સર જેવા ગંભીર રોગ થતા હોવાનું ખૂલ્યું હતું. આ કેસનો ચૂકાદો 11 વર્ષે આવ્યો છે.
દાબેલીમાં માવો અને કલર વાળી ચટણીના નમૂના ફેલ થયા હતાં













