રાજકોટમાં મંદિરોમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ છે. આ તસ્કર ટોળકી ખાસ કરીને ભગવાનના મંદિરોને જ ટાર્ગેટ કરી હતી. ટોળકીએ મોરબી અને રાજકોટ જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી કરીને તરખાટ મચાવ્યો હતો.


ટોળકીના 3 તસ્કર પકડાયા

રાજકોટ પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપતા 3 લોકોની ધરપકડ કરી છે. આ ટોળકીના રાકેશ સોલંકી, વિજય સોલંકી તથા રોનક ભટ્ટને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે ટોળકીના અન્ય સાગરીતો ફરાર થઇ ગયા છે.

રાત્રે મહંત એકલા હોય તેવા મંદિરને જ તેઓ ટાર્ગેટ કરતા

પોલીસે જણાવ્યું કે તસ્કર ટોળકીએ મોરબી, રાજકોટ ગ્રામ્યમાં તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો હતો. આ આરોપીઓની ખાસીયત એ હતી કે તેઓ પહેલા હાઈવે પર આવેલા મંદિરોની રેકી કરતા હતા અને જો રાત્રે મહંત એકલા હોય તેવા મંદિરને જ તેઓ ટાર્ગેટ કરતા હતા. પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,.


  • Follow us on: