રાજકોટમાં કોરાટ ચોક નજીક ઢુંવા ફાટક પાસે ટ્રેનની અડફેટે બે લોકોના મોત થયા છે. સુનિલ મકવાણા અને સૌરભ સોલંકી નામના બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શાપરના કારખાનામાં કામ કરીને બંન્ને ઘરે જતા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. પરંતુ પોલીસ તપાસમાં અન્ય માહિતી સામે આવી છે. આ બને યુવાનો રેલવે ટ્રેક પર માથું નાખીને સુતા હતા. તે દરમિયાન ટ્રેન પસાર થતાં તેમનું મોત થયુ હતુ. ક્યાં કારણોસર રેલવે ટ્રેક પર આ યુવાનો ગયા હતા. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવાનોના મોતની ગુત્થી













