ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસવાની અરજી પર સુનાવણીમાં તારીખ પડી છે. ઉલ્લેખનિય છે કે હાઇકોર્ટમાં ચૈતર વસવાએ જામીન અરજી કરી છે.


સરકારે કોર્ટને કહ્યું હતું કે જો તેમને જામીન અપાય તો સમાજમાં ખોટો મેસેજ જશે

ચૈતર વસાવાનો જેલવાસ લંબાય તેમ લાગી રહ્યું છે અને તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે તેમણે જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જે અપીલ કરી હતી તેમાંફરિયાદીના વકીલે જવાબ રજૂ કરવાસમય માંગ્યા છે જેના કારણે અરજી પર વધુ સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે. જામીન અરજીનો વિરોધ કરતા સરકારે કોર્ટને કહ્યું હતું કે જો તેમને જામીન અપાય તો સમાજમાં ખોટો મેસેજ જશે

તેઓ 5 જુલાઇથી જેલમાં બંધ

ચકચારી લાફા કાંડમાં આપના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે. તેઓ 5 જુલાઇથી જેલમાં બંધ છે અને તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે. 5 ઓગષ્ટે પણ અરજીની સુનાવણી ના થતાં 13 ઓગષ્ટની તારીખ પડી હતી.

સંજય વસાવાએ ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી

ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. આ કેસમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે


  • Follow us on: