સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે, તહેવારોમાં પણ શાંતિ જળવાય તેને લઈ એક જ દિવસમાં 26 આરોપીઓની પાસા કરીને તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે.


સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી

સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી છે, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા છે.

પાસાનો કાયદો શું છે જાણો

પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલરૂમ કાર્યરત

સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે.

  • Follow us on: