સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ પાર્ક કરેલી કારમાં નુકસાન પહોંચાડયું છે, તો પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, કોઈ અંગત અદાવતમાં આ ઘટના બની હોઈ શકે તેવું પોલીસનું અનુમાન છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, પાંડેસરામાં 10 થી 12 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, પાંડેસરાના રામનગરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, એક સાથે ગાડીઓના કાચ તૂટતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે વાહનોમાં તોડફોડ થઈ હોવાની વાત સામે આવી છે, પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, લાકડી અને તિક્ષ્ણ હથિયાર વડે આ વાહનોમાં તોડફોડ કરાઈ હોવાની વાત સામે આવી છે.













