સુરતના કતારગામમાં ટ્યૂશન ભણાવતી 19 વર્ષની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાને કોઈ વિકૃત યુવક હેરાન કરીને બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપઘાતને લઈને સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત વિજ. માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે.
વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ













