દ્વારકામાં આજે શિક્ષક દિનના ખાસ દિવસ પર મહત્વના સમાચાર આવ્યા છે. દ્વારકામાં આવેલ રાષ્ટ્રીય વેદ વિદ્યાલયને ભંડોળની મોટી જાહેરાત કરવામાં આવી. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આ વિદ્યાલય માટે ₹99.29 કરોડની ગ્રાન્ટ પર મહોર મારી છે. આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ખાસ દિવસે વેદ વિદ્યાલયને ભંડોળની જાહેરાત થતા દ્વારકાનગરીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.


દ્વારકા રાષ્ટ્રીય વેદ વિદ્યાલય

દ્વારાકની રાષ્ટ્રીય વેદ વિદ્યાલયમાં વેદ પાઠશાળા, ગુરુકુળ કેમ્પસ, યજ્ઞશાળા અને અદ્યતન ડિજિટલ સુવિધાઓનું નિર્માણ થશે. ગુજરાત સરકાર દ્વારા બરડીયા ગામમાં ફાળવવામાં આવેલી જમીન પર અત્યાધુનિક કેમ્પસના નિર્માણ થશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. વેદ પાઠશાળા, છાત્રાલય, યજ્ઞશાળા અને કમ્પ્યુટર લેબ તથા ડિજિટલ ક્લાસરૂમ જેવી આધુનિક સુવિધાઓ સહિતના કેમ્પસના બાંધકામ માટે કરવામાં આવશે. ભારતના સમૃદ્ધ વૈદિક વારસાને સમકાલીન ટેકનોલોજી અને શિક્ષણ સાથે સુમેળ સાધીને "વિકસિત ભારત"ના વિઝન સાથે જોડશે.

આધુનીક જ્ઞાન સાથે પ્રાચીન સંસ્કૃતિનો સમન્વય

દેશની પ્રાચની ભાષા સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરવાને લઈને વેદ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પણ સંસ્કૃત ભાષાને વધુ વિકસિત કરવા વેદ વિદ્યાલયોને સંભવિત તમામ મદદ કરવા આગળ આવી છે. આજે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. આ ખાસ દિવસ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. દ્વારકાના રાષ્ટ્રીય વેદ વિદ્યાલયને ભંડોળની જાહેરાતથી બાળકોને ભારતની સંસ્કૃતિને આગળ ધપાવવા માટે વધુ એક પ્રોત્સાહનરૂપ ભેટ મળી છે. આ વિદ્યાલયમાં જ્ઞાન મેળવી બાળકો આધુનિક જ્ઞાન સાથે પ્રાચીન સંસ્કૃતિને પણ આગળ ધપાવશે.

  • Follow us on: