દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા આસોટા ગામમાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ આગ એક પશુચારાનો સંગ્રહ કરેલા વાડામાં લાગી હતી. આગ લાગવાના કારણે હજારોનો પશુચારો બળીને ખાખ થઈ ગયો હતો.
જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી
ઘટનાની મળતી વિગતો અનુસાર, દેવભૂમિદ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના એક ખેડૂતે તેના વાડામાં પશુ આહારનો જથ્થો સંગ્રહ કર્યો હતો. જેમાં આગ લાગી હતી. આ ખેડૂતનું નામ રાયદેભાઈ ભોલાભાઈ ગાગિયા છે. તેમણે વાડામાં પશુઓ માટેના સૂકી નીરણના મોટા જથ્થા રાખ્યો હતો. આ જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી.













