ગાંધીનગરમાં અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટરનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યા હતા. સાથે તેમની પુત્રી હતી તેમને બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. માસૂમ દીકરીની સામે જ પિતાનું મોત થયું છે. દીકરીએ પિતાને બચાવવા રિક્ષાચાલકની મદદ માંગી હતી.


ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટર કેનાલમાં ડૂબ્યા

આ ઘટના અંગે મળતી માહીતી મુજબ ડોક્ટર નીરવકુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પીડીયાટ્રીશીયન છે. તેમની પત્ની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમની છ વર્ષની પુત્રી એ વ્રત કર્યું હતું અને તે વ્રત પૂર્ણ થતા ઝવેરા પધરાવવા માટે પિતા પુત્રી સવારના સમયે ગાંધીનગર નજીક આવેલી નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યા પુત્રીને કેનાલની પાળ પર ઉભી રાખીને તેઓ નીચે ઉતરવા જતા પગ લપસી ગયો હતો.

પુત્રીએ આસપાસના લોકોની મદદ માંગી 

ડોક્ટરનો પગ લપસતા તેઓ કેનાલમાં ડૂબ્યા હતા. તેમની પુત્રીએ આસપાસના લોકોની મદદ માંગી હતી. પુત્રીની સામે પિતાનું મોત થયું પણ 6 વર્ષીય પુત્રી બચાવી ના શકી. દીકરીએ પિતાને બચાવવા રિક્ષાચાલકની મદદ માંગ હતી. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: