ગુજરાતમાં એક વર્ષ દરમિયાન વિવિધ બીમારીઓના કારણે કુલ 62 સિંહોના મોત થયા હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. 31 જુલાઈ 2025ની સ્થિતિના આંકડા મુજબ મૃત્યુ પામેલા સિંહોમાં સૌથી વધુ 28 બાળ સિંહોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 નર અને 17 માદા સિંહોના પણ મોત થયા છે.
કયા રોગોના કારણે સિંહોના મોત થયા?
મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ દરમિયાન વિવિધ ગંભીર બીમારીઓ સામે આવી હતી. તેમાં ન્યુમોનિયા, એનિમિયા, કિડની ફેલ્યોર, મલ્ટી ઓર્ગન ડિસફંક્શન, પેરાલિસિસ, એન્સેફાલિટિસ, નેફ્રોટિક એન્ટેરાઇટિસ, એન્ટેરાઇટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર અને સેપ્ટિક શોક જેવા રોગોનો સમાવેશ થાય છે.
