ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવેથી 24 કલાક પાણી આપવામાં આવશે. જે રાજ્યનું પ્રથમ 24 કલાક પાણી આપતુ શહેર બનશે. ગાંધીનગરમાં સેક્ટર 14થી 29માં આગામી મંગળવારથી 24 કલાક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરમાં લોકોને 24 કલાક પાણી આપવામાં આવશે













