જ્યાંથી આખા રાજ્યનું તંત્ર ચાલે છે અને રાજ્યનો વહિવટ થાય છે તેવા પાટનગર ગાંધીનગર શહેર પણ ભૂવાથી ત્રસ્ત છે. ભલે પાટનગર હોય પણ ભુવા તો પડે જ કારણ કે ભુવાને તો ખબર નથી કે અહીં તમામ રાજનેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ રહે છે.


હવે સરકારના અધિકારીઓ પણ ભૂવાથી ત્રસ્ત

વાત જાણે એમ છે કે ગાંધીનગરમાં સેક્ટર 19માં ફરી ભૂવો પડ્યો છે. VIP સેક્ટર ગણાતા એવા સેક્ટર 19માં ભૂવો પડતા સરકારી તંત્રમાં કેવી પોલમપોલ ચાલે છે તે બહાર આવ્યું છે. સામાન્ય માણસ તો ભૂવાથી ત્રસ્ત છે જ પણ હવે સરકારના અધિકારીઓ પણ ભૂવાથી ત્રસ્ત છે

સેક્ટરમાં તો સિનીયર IASઅધિકારીઓના બંગલા પણ આવેલા છે

નવાઇની વાત એ છે કે આ સ્થળે તત્કાલિક અસરથી સ્થાનિક તંત્રએ ભૂવો પુરી પણ દીધો હતો પણ ફરી પાછો એ જ જગ્યાએ ભૂવો પડ્યો છે જેથી કહી શકાય કે સ્થાનિક તંત્ર કેવું કામ કરતું હશે. જે સ્થળે ભૂવો પડ્યો છે તે સેક્ટરમાં તો સિનીયર IASઅધિકારીઓના બંગલા પણ આવેલા છે.

ભૂવાનું ગઇ કાલે રાત્રે જ પૂરાણ કરાયું હતું

સેક્ટર 19 તો વીઆઇપી સેક્ટર ગણાય છે અને આ સેક્ટરમાં ગઇ કાલે ભૂવો પડ્યો એટલે સ્થાનિક તંત્રએ ગઇ કાલે રાત્રે જ પૂરાણ કરાયું હતું. પણ સવારે ફરી પાછો એ જ જગ્યાએ ભૂવો પડ્યો છે. એટલે કહી શકાય કે સિનીયર આઇએએસ અધિકારીઓ પણ હવે સમજી ગયા હશે કે જો ગાંધીનગરમાં ભૂવા પડતાં હોય અને કોઇનો કન્ટ્રોલ ના હોય તો આખા રાજ્યમાં શું સ્થિતી હશે કારણ કે વહિવટ તો રાજ્યમાં એક સરખો જ ચાલતો હશે.


  • Follow us on: