કેન્દ્રીય ગૃહમંત્રી અમતિશાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પ્રથમ દિવસે ગૃહમંત્રી અમિતશાહ આણંદના સહકાર વિભાગના કાર્યકમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવશે. દરમિયાન ગૃહમંત્રીએ વરસાદી સિઝનમાં વિસ્તારોની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો. જો કે ગાંધીનગર મેયર દ્વારા આ સમીક્ષા બેઠક હોવાનો દાવો કરવામાં આવ્યો.


CMએ બોલાવી સમીક્ષા બેઠક

ગૃહમંત્રી અમિતશાહે અધિકારીઓના કલાસ લીધો હતો. જેના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનપાના અધિકારી-પદાધિકારીને વરસાદ બાદ જનતાને તકલીફ ના પડે તે માટે કામગીરી કરવા સૂચના આપી છે. સમીક્ષા બેઠકને લઈને ગાંધીનગર મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. મેયરે જણાવ્યું કે રોડ-રસ્તા સહિતની કુલ 1500 જેટલી ફરિયાદો અમને મળી છે. મોટાભાગની ફરિયાદોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી છે. ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો.

ગાંધીનગરમાં સિંદૂર હોસ્પિટલનું ઉદ્ઘાટન 

ઉલ્લેખનીય છે કે હાલમાં બે કેન્દ્રીય મંત્રી ગુજરાતની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિતશાહ આણંદના એક કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગરમાં સિંદૂર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સી.આર.પાટિલ ઉપરાંત ઋષિકેશ પટેલ અને મેયર પણ ઉપસ્થતિ રહ્યા હતા. તાજેતરમાં ગાંધીનગરમાં મળેલ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી સિઝનમાં નાગરિકોને પડતી મુશ્કેલીને લઈને આવેલ ફરિયાદો સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે મંત્રીઓ અને પ્રભારી સચિવોને ફિલ્મ ઉપર ઉતરી વાસ્તવિક સ્થતિનો તાગ મેળવી ફરિયાદ દૂર કરવા સૂચન કર્યું હતું. 

  • Follow us on: