ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા હતાં. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ રસ્તા અંગે લોકોમાં રોષ ફેલાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક સમારકામ કરવા માટે આદેશ કર્યો હતો. રાજ્યમાં ભારત માલા પ્રોજેક્ટ અને અમૃતસર જામનગર એક્સપ્રેસ વે સહિતના મોટા હાઈવે પર રોડ તૂટી ગયા હતા. આ રોડની હાલમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે. જેન કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ અમૃતસર જામનગર એક્સપ્રેસ વેના 28 કિ.મી સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલવા નિર્ણય લીધો છે.
28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે













