ઝાક જલુન્દ્રાના જર્જરીત ખખડધજ બ્રિજનું મરામત તેમજ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરાયુ છે. રોડ રોલર મશીનરી સહિત આજે બ્રિજ પર નવો રોડ બનાવવાની કામગીરી કરવા કેનાલ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા છે.

 બ્રિજનું મરામત તેમજ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરાયુ 

રાયપુર બ્રીજ જોખમી અને જર્જરીત જાહેર કરવામાં આવ્યા બાદ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જે બાદ રાયપુર બ્રિજથી વળાંક આપીને ડાઈવર્જન આપવામાં આવેલા ઝાક જલુન્દ્રા વિલેજ બ્રિજ પર ભારે વાહનોના ધસારાને લઈને આ બ્રિજમાં ધ્રુજારી થવાની બૂમો વાહન ચાલકોમાં ઉઠી હતી. તેમજ બ્રિજ પરના ખાડા અને ખખડધજ રોડને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા.

વાહન ચાલકોને મોટી રાહત 

આ મામલે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને વાહનચાલકોની તેમજ ગ્રામજનોની સમસ્યા અને વાચા આપવામાં આવ્યા બાદ આજે નર્મદા કેનાલ તંત્રના અધિકારીઓ જાક જલુન્દ્રા વાળા સાંકળ 218 બ્રિજનું મરામત કામ તેમજ ખાડાવાળા રોડને નવો બનાવવાની કામગીરી સાથે મશીનરી સહિત ઉતરી પડ્યા હતા. આજે યુદ્ધના ધોરણે નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બ્રિજની મરામત અને રોડના કામ બાદ વાહન ચાલકોને મોટી રાહત થશે એમ ચર્ચાઓ છે.

  • Follow us on: