પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી 17 જુલાઈના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગીની તક મળશે અને તે જ દિવસે નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવશે.


ઉમેદવારોને સ્થળ પસંદગી મારે બોલાવશે

લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પસંદગી પામેલા ઉમેદવારોને 17 જુલાઈ, 2025 ના રોજ સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારોને નિમણૂક પત્રો પણ એનાયત કરાશે

મહત્વપૂર્ણ બાબત એ છે કે, ઉમેદવારોને જે જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે, તે જ જિલ્લામાં તેઓને શાળાઓની પસંદગી કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ, સ્થળ પસંદગીના એ જ દિવસે એટલે કે 17 જુલાઈના રોજ, લાયક ઠરેલા તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો પણ એનાયત કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારોને હવે ઝડપથી શાળામાં જોડાઈને પોતાની સેવાઓ આપવાની તક મળશે.


  • Follow us on: