19 જૂને યોજાએલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નવા ચૂંટાયેલા ધારાસ્ભયોનો આજ રોજ શપથ સમારોહ યોજવામાં આવ્યો હતો. કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાને અને વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાને ગુજરાત વિધાનસભા અધ્યક્ષના ચેમ્બરમાં શપથગ્રહણ કરાવ્યા હતા. આ શપથગ્રહણ દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થીત રહ્યા હતા. કડીથી પેટાચૂંટણામાં જીત મેળવ્યા બાદ રાજેન્દ્ર ચાવડા અને તેમના કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


16 જુલાઈએ નક્કી કરવામા આવી 'શપથવિધિ'

 ગુજરાતની બે વિધાનસભા બેઠકોમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ જીત મેળવી હતી. આ બંને ધારાસભ્યોની આજે શપથવિધિ નક્કી કરવામા આવી હતી. આજે 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા હતા. આ અવસરે ઈસુદાન ગઢવી AAPના ધારાસભ્યો અને ગોપાલ ઈટાલિયાના સમર્થકો અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગોપાલ ઈટાલિયાને સચિવાલયમાં માનપૂર્વક આવકાર્યા

અત્યાર સુધી સચિવાલયમાં ગોપાલ ઈટાલિયાના પ્રવેશ પર હતી બંધી જ્યારે આજે તેમને માનપૂર્વક સચિવાલયમાં આવકાર્યા હતા. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકીને અપમાન કરતા તેમને સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંઘ લાદ્યો હતો. તાજેતરમાં તેઓએ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપેલી ચેલેન્જને સ્વીકારી હતી. ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં રહ્યાં છે.

  • Follow us on: