વિઘ્નહર્તા ગણેશજીને ધામધૂમથી લોકો આવકારી રહ્યા છે. અમદાવાદમાં ગણપતિ મહોત્સવને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂર, લોકર ફોર વોકર સહિતના સંદેશની થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુરની થીમ હેઠળ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે.
ગણેશ ઉત્સવની ઠેરઠેર ઉજવણી













