ગીરસોમનાથમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દરિયામાં કરંટ આવતા ઉનાના સૈયાદ રાજપરામાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોએ મદદની રજૂઆત કરી. રાજપરા ખાતે રહેતા લોકોનું કહેવું છે કે અગાઉ તાઉતે વાવઝોડાના કારણે તેમના ગામમાં મોટું નુકસાન થયું હતું. ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી અને તેની અસર આજે પણ જોવા મળે છે.
દરિયાના કરંટે ગામમાં મચાવી તબાહી













