ગીર ગઢડામાં સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું છે. મહોબતપરા ગામની રાવલ નદીના બેઠા પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળ્યો છે. આ ઘટનાની જાણ થતા જસાધાર વન વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી હતી. વન વિભાગે સિંહના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી છે. સિંહના ગળામાં ટ્રુકોલરનો પટ્ટો પણ જોવા મળ્યો છે. વન વિભાગે કયા કારણે સિંહનું મોત થયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.
રાવલ નદીના બેઠા પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળ્યો













