ગીર સોમનાથમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણના મોત થયા છે અને કાટમાળમાં માતા-પુત્રી દટાતા તેમનુંના ઘટનાસ્થળે જ મોત થયું છે, મોડી રાત્રે 1.30 વાગ્યા આસપાસ બની ઘટના અને બાઇકચાલક મકાન નીચે બેઠો હતો તે સમયે દટાયો હતો, બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કાટમાળમાંથી ત્રણ જેટલા મૃતદેહ બહાર કઢાયા છે.
રેસ્ક્યુ ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવાયા
વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં બની ગમખ્વાર દુર્ઘટના જેમાં 3 લોકોના મોત થયા છે, ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ દૂર કર્યો છે, કાટમાળ નીચેથી 2 મૃતદેહ કાઢયા છે અને અને હજી એક મૃતદેહની શોધખોળ ચાલુ છે, સ્થાનિકોનું કહેવું છે કે, મકાન જૂનુ અને જર્જરિત હોવાથી આ ઘટના બની છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.













