ગુજરાત દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. જેમાં 2025માં થયેલી 16મી સિંહોની વસ્તી ગણતરી થઇ હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકોઓમાં 891 સિંહોનો વસવાટ છે. આજે આ સિંહ જંગલમાંથી શહેરોમાં ફરતા થઈ ગયા છે. જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ગામડાઓમાં સિંહોની લટાર જોવા મળતી હોય છે. જંગલમાંથી બહાર આવેલા સિંહો ઘણી વખત માનવ શિકાર કરતા હોય છે. ત્યારે ગીર ગઢડાના એક ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળુ લટાર મારતુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. સિંહોની આ લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટારનો એક વીડિયો સામે આવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટારનો એક વીડિયો સામે આવ્યો છે. ગત મોડી રાત્રે સાત સિંહોનું એક ટોળુ ગામમાં લટાર મારતુ હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયુ હતું. એક સાથે સાત સિંહોનું ટોળુ ગામમાં ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ સિંહો દ્વારા કોઈ પશુનો શિકાર કરવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. પરંતુ રહેણાંક વિસ્તારમાં વધી રહેલી સિંહોની ઘૂસણખોરીને કારણે લોકોમાં ભય ફેલાયો છે. ખેતરમા જતા ખેડૂતોમાં સૌથી વધુ ભય જોવા મળ્યો છે. જૂનાગઢ અને અમરેલી આસપાસના વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધવાથી લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે.

આજે રાજ્યમાં 11 જિલ્લામાં 891 સિંહોનો વસવાટ

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રીએ દ્વારકાના ભાણવડમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ગૌરવ સમાન સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 11 જિલ્લામાં 891 સિંહોનો વસવાટ છે. આ વિસ્તારોને સારી રીતે ડેવલોપ કરવામાં આવશે. બીજી તરફ જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં સિંહો અંગે પણ સરકારે વિચારવાની જરૂર છે. સિંહો દ્વારા માનવ પર થતા હુમલા અને પશુઓના મારણથી પણ લોકોમાં ભય ફેલાયો છે. તેને લઈને સરકારે વિચાર કરવાની જરૂર છે.


  • Follow us on: