ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈ માટે પાટીદાર આગેવાન જિગીશા પટેલે જાહેરાત કરી છે. 31 ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી ગોંડલમાં કરવામાં આવશે. છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમાં બનાવવા માટે પણ ભૂમિ પૂજન 31 ઓક્ટોબર 2025એ ગોંડલમાં કરાશે..


પાટીદાર આગેવાન જિગીશા પટેલે જાહેરાત કરી 

નાગોર ધારાસભ્ય હનુમાન બેનીવાલ અને હરિયાણાના સાંસદ દીપેંદરસિંહ હુડ્ડાને પણ આમંત્રણ અપાશે, આ સિવાય પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે. ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની પાટીદાર આગેવાન જિગીશા પટેલે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ બંને શા માટે પાટીદાર યુવકોને જ ટાર્ગેટ કરે છે?.આપણે ભલે આઝાદ થયા હોય પણ ગોંડલમાં આઝાદીના હક નથી મળતા.

ગોંડલને ભયમુક્ત અને ગુંડાગીરી મુક્ત કરવા સમિતિ

અમારી લડાઈ પાટીદાર સમાજ માટે નહીં પણ 18 વર્ણ માટે છે. આ માટે હિત રક્ષક સમિતિની નિમણૂક કરી છે. આ સાથે જ હેમાંગ પટેલે જણાવ્યું કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામે કાર્યવાહીમાં પોલીસની કામગીરી શંકાસ્પદ છે. ગોંડલને ભયમુક્ત અને ગુંડાગીરી મુક્ત કરવા માટે હિત રક્ષક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ પણ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ દબાણ હેઠળ કામ કરે છે.


  • Follow us on: