ગોંડલના ગુંદાળા ફટક પાસે બપોરના સમયે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન નીચે એક અજાણ્યા યુવાને આપઘાત કર્યો છે. આ સમયે વેરાવળ - બાંદ્રા ટ્રેન ગોંડલ રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી. યુવાને ટ્રેન નીચે પડતું મૂકતા ગુંદાળા ફટક પાસે લોકોની ભીડ એકઠ્ઠી થઈ ગઈ હતી. અગમ્ય કારણોસર યુવાને આપઘાત કર્યો હોવાની ચર્ચા ત્યાંના લોકો કરી રહ્યા હતા.


મૃતક યુવાનની વય 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન

આ અંગે વધુ તપાસ કરવા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આત્મહત્યા કરનાર અજાણ્યા મૃતક યુવાન અંદાજે ઉ.વ. 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અજાણ્યા મૃતક યુવાનના મૃતદેહને રેલવે પોલીસ દ્વારા ગોંડલ રેલવે સ્ટેશન ખાતે ખસેડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવાનની ઓળખ માટે તેના સગા સંબંધીઓની શોધખોળ રેલવે પોલીસે શરૂ કરી છે.

રેલવે પોલીસની તપાસ શરૂ

અજાણ્યા મૃતક યુવાનના વાલી વારસની પોલીસે શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવાન ક્યાંથી આવ્યો અને તેનું આપઘાત કરવાનું કારણ શું હતુ તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના જીવનથી કંટાળીને કે કોઈ અન્ય કારણોસર આ યુવાને આપઘાત કર્યો છે તે જાણવા રેલવે પોલીસે તપાસ આતરી છે. મૃતક યુવાનની ઓળખ કરાવવા રેલવે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. 

  • Follow us on: