Jamnagarની ચેમ્બર કોલોનીમાં ઝાડની ડાળી કાપવા ચઢેલા યુવકનું વીજ કરંટથી મોત


જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં એક દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં ઝાડની ડાળી કાપતી વખતે એક યુવકને વીજ શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવક મંદિરના પટાંગણમાં ઝાડની ડાળી કાપી રહ્યો હતો. આ દરમિયાન ઝાડની એક ડાળી ત્યાંથી પસાર થતી 66 KVની ઇલેક્ટ્રિક લાઇનને અડકી ગઈ હતી.

66 KVની લાઇનને ડાળી અડકી જતા યુવકને કરંટ લાગ્યો

જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તે વીજ લાઈન સાથે જ ચોંટી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ઝાડ કાપવા જેવી કામગીરી દરમિયાન સલામતીના પગલાં ભરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી

શું આ કામગીરી માટે વીજ કંપનીની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ અને સલામતીના સાધનોનો ઉપયોગ થયો હતો કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવા હતી. આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા વધુ કડક નિયમો અને જાગૃતિ અભિયાન ચલાવવા જરૂરી હોય તેવુ લાગી રહ્યું છે.


  • Follow us on: